મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ


SHARE















મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને રેતી ચોરી કરનાર શખ્સની સામે હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ૩,૨૬,૮૫૦ ના ખનીજની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મુળ જામનગરમાં સરુ સેકશન રોડ શિવમ પેટ્રોલપંપની બાજુમાં રહેતા અને હાલમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણનગરમાં રહેતા ખાણ ખનીજ વિભાગના અધિકારી મિતેશભાઇ રામભાઇ ગોજીયા (૨૯) દ્વારા વિપુલભાઈ શાંતિલાલ નિમાવત રહે. ૧૦૩સીટી પેલેસશનાળા રોડમોરબી વાળાની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી આરોપીએ નિયમ ૨૨ ના શિડ્યુલ ׀׀׀ (C) મુજબ ૩૭૪.૮૫ મેટ્રિક ટન સાદી રેતી ખનિજના પ્રતિ મેટ્રિક ટનના રૂપિયા ૨૪૦ લેખે રૂપિયા ૮૯,૯૬૪ તેમજ શિડ્યુલ ॥।(D) મુજબ ૧ એસ્કેવેટર મશીનના ૨,૦૦,૦૦૦ તેમજ પર્યાવરણીય નુકશાની વળતરના સરકારના ઉધોગ અને ખાણ વિભાગગાંધીનગરના ઠરાવ તા.૧૦/૯/૨૦૧૮ ના નિયમ મુજબ સાદી રેતી ખનિજ માટે ખનિજ કિંમત રૂ.૨૪૦/- પ્રતિ મેટ્રિક ટનના ૪૧% લેખે બિનઅધિકૃત ખનનના ૩૬,૮૮૬ મળી કુલ ૩,૨૬,૮૫૦ ના ખનીજનું ખનન, વહન અને સંગ્રહ કરી ગુન્હો કર્યા છે જેથી કરીને હાલમાં તેની સામે તાલુક પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ ૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧)૪(૧) (એ)૨૧(૧) (૨) (૩) (૪) (૫) (૬) તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ના તથા જી.એમ.એમ.સી.આર -૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News