ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને રેતી ચોરી કરનાર શખ્સની સામે હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ૩,૨૬,૮૫૦ ના ખનીજની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મુળ જામનગરમાં સરુ સેકશન રોડ શિવમ પેટ્રોલપંપની બાજુમાં રહેતા અને હાલમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણનગરમાં રહેતા ખાણ ખનીજ વિભાગના અધિકારી મિતેશભાઇ રામભાઇ ગોજીયા (૨૯) દ્વારા વિપુલભાઈ શાંતિલાલ નિમાવત રહે. ૧૦૩સીટી પેલેસશનાળા રોડમોરબી વાળાની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી આરોપીએ નિયમ ૨૨ ના શિડ્યુલ ׀׀׀ (C) મુજબ ૩૭૪.૮૫ મેટ્રિક ટન સાદી રેતી ખનિજના પ્રતિ મેટ્રિક ટનના રૂપિયા ૨૪૦ લેખે રૂપિયા ૮૯,૯૬૪ તેમજ શિડ્યુલ ॥।(D) મુજબ ૧ એસ્કેવેટર મશીનના ૨,૦૦,૦૦૦ તેમજ પર્યાવરણીય નુકશાની વળતરના સરકારના ઉધોગ અને ખાણ વિભાગગાંધીનગરના ઠરાવ તા.૧૦/૯/૨૦૧૮ ના નિયમ મુજબ સાદી રેતી ખનિજ માટે ખનિજ કિંમત રૂ.૨૪૦/- પ્રતિ મેટ્રિક ટનના ૪૧% લેખે બિનઅધિકૃત ખનનના ૩૬,૮૮૬ મળી કુલ ૩,૨૬,૮૫૦ ના ખનીજનું ખનન, વહન અને સંગ્રહ કરી ગુન્હો કર્યા છે જેથી કરીને હાલમાં તેની સામે તાલુક પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ ૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧)૪(૧) (એ)૨૧(૧) (૨) (૩) (૪) (૫) (૬) તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ના તથા જી.એમ.એમ.સી.આર -૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News