ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગોસ્વામી સમાજના હિત અને વિકાસ માટે ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવો: ડો. મનીષભાઈ ગોસ્વામી


SHARE













ગુજરાતમાં ગોસ્વામી સમાજના હિત અને વિકાસ માટે ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવો: ડો. મનીષભાઈ ગોસ્વામી

દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા: સમૂહલગ્નના આયોજકોનું મહાનુભાવોએ કર્યું સન્માન

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજીત ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણનગરના ગ્રાઉન્ડમાં આ સમૂહલગ્ન રાખવામા આવ્યા હતા જેમાં કન્યાઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈને જુદીજુદી ૮૫ વસ્તુઓ આપવામાં આવી હતી અને યુવક મંડળ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી રાજકોટના નિવૃત પીએસઆઇ અને સમાજના આગેવાન સોમગીરી પ્રભાતગીરી તેમજ તેની ટીમે યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું

આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રાજકોટના ડો.મનીષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના હિત અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત લેવલનું મજબૂત એકતાનું સંગઠન બનાવવા માટે આહ્વાન કર્યું હતું અને નવ દંપતીઓ તેમજ વાલીઓને ટકોર કરી હતી કે ઘરમાં નાની નાની બાબતોને મોટુ રૂપ ન આપો અને એકબીજા પ્રત્યે અહંકાર કે ઈર્ષા ન રાખો તેના લીધે સમાજમાં છુટા છેડાના બનાવો વધી રહ્યા છે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજએ સંતો મહંતોનો પરોપકારી અને કલ્યાણકારી સમાજ છે. આ સમૂહલગ્નમાં જોડાવવુંએ મોટું સદભાગ્ય છે. કારણ કે, સમૂહલગ્નમાં સંતો મહંતો અને સમાજના દંપતીઓને આશીર્વાદ મળે છે. આ સમૂહલગ્નમાં ઉપસ્થિત સંતો મહંતી મહાનુભાવો સમૂહલગ્નના સફળ આયોજનને બિરદાવી દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહલગ્નમાં મુકેશગીરી દલપતગીરીસંજયભાઇ ગોસ્વામીચેતનગીરી વાંકાનેરવાળા,રાષ્ટ્રીય અધ્યક્ષ સચીદાનંદજીગીરીમોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરીમોરબી ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીહસુબાપુ ભગવાગ્રુપચોટીલાના મહંત, દળવા રાંદલ મહંત તેમજ મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકોટસુરેન્દ્રનગરકરછ સહિત ગુજરાતભરના વિવિધ સંગઠનના આગેવાનોસંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરીઉપપ્રમુખ બળદેવગીરી દેવગીરીમંત્રી અમિતગીરી તથા નિતેષગીરી ખજાનચી એડવોકેટ હાર્દિકગીરી તથા દેવેન્દ્રગીરી સહિત યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી






Latest News