મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગોસ્વામી સમાજના હિત અને વિકાસ માટે ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવો: ડો. મનીષભાઈ ગોસ્વામી


SHARE





ગુજરાતમાં ગોસ્વામી સમાજના હિત અને વિકાસ માટે ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવો: ડો. મનીષભાઈ ગોસ્વામી

દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા: સમૂહલગ્નના આયોજકોનું મહાનુભાવોએ કર્યું સન્માન

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજીત ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણનગરના ગ્રાઉન્ડમાં આ સમૂહલગ્ન રાખવામા આવ્યા હતા જેમાં કન્યાઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈને જુદીજુદી ૮૫ વસ્તુઓ આપવામાં આવી હતી અને યુવક મંડળ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી રાજકોટના નિવૃત પીએસઆઇ અને સમાજના આગેવાન સોમગીરી પ્રભાતગીરી તેમજ તેની ટીમે યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું

આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રાજકોટના ડો.મનીષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના હિત અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત લેવલનું મજબૂત એકતાનું સંગઠન બનાવવા માટે આહ્વાન કર્યું હતું અને નવ દંપતીઓ તેમજ વાલીઓને ટકોર કરી હતી કે ઘરમાં નાની નાની બાબતોને મોટુ રૂપ ન આપો અને એકબીજા પ્રત્યે અહંકાર કે ઈર્ષા ન રાખો તેના લીધે સમાજમાં છુટા છેડાના બનાવો વધી રહ્યા છે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજએ સંતો મહંતોનો પરોપકારી અને કલ્યાણકારી સમાજ છે. આ સમૂહલગ્નમાં જોડાવવુંએ મોટું સદભાગ્ય છે. કારણ કે, સમૂહલગ્નમાં સંતો મહંતો અને સમાજના દંપતીઓને આશીર્વાદ મળે છે. આ સમૂહલગ્નમાં ઉપસ્થિત સંતો મહંતી મહાનુભાવો સમૂહલગ્નના સફળ આયોજનને બિરદાવી દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહલગ્નમાં મુકેશગીરી દલપતગીરીસંજયભાઇ ગોસ્વામીચેતનગીરી વાંકાનેરવાળા,રાષ્ટ્રીય અધ્યક્ષ સચીદાનંદજીગીરીમોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરીમોરબી ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીહસુબાપુ ભગવાગ્રુપચોટીલાના મહંત, દળવા રાંદલ મહંત તેમજ મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકોટસુરેન્દ્રનગરકરછ સહિત ગુજરાતભરના વિવિધ સંગઠનના આગેવાનોસંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરીઉપપ્રમુખ બળદેવગીરી દેવગીરીમંત્રી અમિતગીરી તથા નિતેષગીરી ખજાનચી એડવોકેટ હાર્દિકગીરી તથા દેવેન્દ્રગીરી સહિત યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી




Latest News