મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ કોલેજીયન મિત્ર સાથે લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું


SHARE





મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ કોલેજીયન મિત્ર સાથે લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી જેથી તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે યુવતીની સાથે કોલેજમાં ભણતા રાજકોટના યુવાન સાથે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા છે હાલ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે આ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં લાયન્સ સ્કૂલ પાછળ રહેતા મનોજભાઈ ડાયાભાઈ પાધરેસા નામના ૪૪ વર્ષીય યુવાને પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગત્ત તા.૪-૩ ના રાત્રીના બે થી પાંચ દરમિયાનમાં તેઓની પુત્રી રાજશ્રીબેન મનોજભાઈ પાધરેસા (ઉમર ૨૩) ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયેલ છે અને વધુમાં તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેણી તેના કોઈ બોયફ્રેન્ડના સંપર્કમાં હોય ઘરે કંઈ જાણ કર્યા વિના ચાલ્યા ગયેલ છે તે અંગે પોલીસમાં ગુમશુધા નોંધ દાખલ થયેલી હોય તપાસ અધિકારી વશરામભાઇ મેતા દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે ગુમ થયેલા રાજશ્રીબેનને તેના સાથે કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના કોઈ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય તેણીએ તે યુવીનની સાથે લવ મેરેજ કરી લીધેલા છે..!

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેર તાલુકાના કોટડા ગામના રહેવાસી જયાબેન અમરશીભાઈ સોલંકી નામની ચાલીસ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા નજીકના છતર ગામ પાસેથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં મેલડી માતાના મંદિર નજીક તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલચરીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના વાંટાવદર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા દિનેશભાઈ અમરશીભાઈ ઠાકોર નામના ૫૪ વર્ષીય આધેડને હળવદ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News