ટંકારા આયુષ મેળામાં NIMA ના ડૉક્ટર મીત્રોએ સરકારી તબીબો સાથે સેવા આપી
SHARE
ટંકારા આયુષ મેળામાં NIMA ના ડૉક્ટર મીત્રોએ સરકારી તબીબો સાથે સેવા આપી
5 માર્ચ 2023નાં રોજ ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં આયુર્વેદ ડૉક્ટરનાં લીગલ સંગઠન "નિમા- નેશનલ ઇન્ટેગ્રટેડ મેડીકલ એસોસિએશન"નાં પ્રમુખ ડૉ. હાર્દિક જેસ્વાણીએ જીલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પ્રવિણ વડાવીયા સાથે ચર્ચા કરી આયુષ મેળામાં નિમા તરફથી ડોકટર ટીમ મોકલેલ હતી અને સરકારી ડૉ. જીગ્નેશ બોરસણીયાએ "નિમા" પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણી નું સ્વાગત કરેલ અને સમગ્ર ડોકટર ટીમનો આભાર માનેલ હતો આ મેળામાં ડૉ. હાર્દિક જેસ્વાણી, ડૉ. સંજય નિમાવત, ડૉ. કૌશિક કાલરીયા હાજર રહેલ હતા આ ઉપરાંત ડૉ. ધર્મેન્દ્ર ધોરીયાણી, ડૉ. રમેશ ડાભી, ડૉ. પરેશ ડાભી, ડૉ. તૌસિફ કલાડીયા, ડૉ. હર્ષ અંબાસણા, ડૉ. મિલન ઓગણજાએ સેવા આપેલ હતી જેમણે નિદાન અને સારવાર તથા અગ્નિકર્મ, રક્તમોક્ષણ, કર્ણવેધન વગેરે કરેલ હતુ ડૉ. કશ્યપ સેરસિયા, અને ડૉ. મનોજ ભાડજાએ હરસ, મસા, ભગંદરના દર્દીનોને તપાસી સારવાર આપી હતી.









