મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીને ભાડું લીધા વગર પ્રસંગમાં પહેરવા માટે આપવામાં આવશે ચણિયા ચોલી


SHARE













મોરબીના પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીને ભાડું લીધા વગર પ્રસંગમાં પહેરવા માટે આપવામાં આવશે ચણિયા ચોલી

મોરબીના સનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં માહી ચોલી સેન્ટર આવેલ છે જેના માલિક દ્વારા આગામી દિવસોમાં આવી રહેલ લગ્નસરાની સિઝનમાં અગાઉ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવી હોય તે દીકરીના લગ્ન પ્રસંગ માટે કોઇ પણ પ્રકારનું ભાડું લીધા વગર ચણિયાચોળી આપવા માટેની જાહેરાત કરેલ છે

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તેમાં ઘણા સંતોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે આગામી દિવસોમાં જ્યારે લગ્નસરાની સિઝન શરૂ થવા જય રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટની બાજુમાં પટેલ શોપિંગ સેન્ટરમાં માહિ ચોલી સેન્ટર નામની દુકાન ધરાવતા કલ્પેશભાઈ વજીભાઇ છાત્રોલા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે “આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન આવી રહી છે ત્યારે જે દીકરીઓએ કોરોના કાળ દરમિયાન પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હોય અને તેના લગ્ન પ્રસંગ દરમિયાન ગરબા કે મંડપ મહુર્ત સમય ચણીયા ચોલી પહેરવી હોય તો તે ત્યાંથી લઈ જય શકે છે અને તેનું કોઈ પણ પ્રકારનું ભાડું માહિ ચોલી સેન્ટર દ્વારા લેવામાં આવશે નહીં અને આગામી અખાત્રીજ સુધીમાં જે દીકરીઓના લગ્ન હોય તે લગ્ન પ્રસંગ માટે ચણીયા ચોલી લઈ જઇ શકશે અને અત્યારથી જ ચણિયાચોળી બુકિંગ કરાવી શકાય છે અને તેમના માટે તેમણે પોતાનો મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૯૨૬૫૪ પણ આપેલ છે જેના દ્વારા સંપર્ક કરીને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી ચણિયાચોળી બુક કારવીને ત્યાથી પ્રસંગ માટે વિનામૂલ્યે લઈ જય શકે છે






Latest News