મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ


SHARE





મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-રાજકોટ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિતે મોરબી ગુરુકુલ ઠાકોરજી સમક્ષ ફ્રુટની હાટડી ધરાવામાં આવી હતી તેમજ ભગવાનને ધરાવેલ આ ફ્રુટને સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ તેમજ અનાથાલય સહિતની જગ્યાઓએ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સ્વામિનારાયણ ભગવાનની દીનજનો પ્રત્યે કરૂણા રાખવાની તેમજ વૃદ્ધો-અશક્તોની સેવાની આજ્ઞાને મૂર્તિમંત કરતા સંતો અને ભક્તોએ આ પુણ્યકાર્ય કર્યું હતુ.જેના યજમાનપદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતી.પ.પૂ ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનાર અમૃત મહોત્સવ-૨૦રર સુધી પ્રતિ એકાદશીએ આ સેવાકીય પ્રવૃતિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.

 




Latest News