મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા


SHARE











મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ભારતી દ્વારા લેવામાં આવતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પ્રમાણપત્રો આપી ૩૪૭ સંસ્કૃત અનુરાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.જેમા ધોરણ ૬ થી ૧૨ ના ભાઈ-બહેનો, ઉપરાંત વાલીઓ, અન્ય વ્યવસાય-નોકરી કરતા ભાઈઓ-બહેનો, ગૃહિણીઓ વિગેરે સંસ્કૃત અનુરાગીઓ જોડાયા હતા અને આ માધ્યમથી સંસ્કૃતને પોતાના જીવનમાં પરિવારમાં, સમાજમાં સંસ્કૃતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ-પ્રયત્ન કર્યો હતો. સંસ્કૃતમાં રસરુચી ધરાવનાર દરેક ભાઈઓ-બહેનોને આહ્વાન છે આ માટે સંસ્કૃત આવડવું જરુરી જ છે એવું નથી, ઈચ્છા અને મન હોવું જોઈએ.તમે પણ જોડાઈ શકો છો અને વ્યક્તિત્વ વિકાસ, રાષ્ટ્ર વિકાસના કાર્યમાં ભાગીદાર થઈ શકો છો.તેમ નવનિર્માણ ક્લાસીસના સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ જણાવેલે છે






Latest News