મોરબીના આંદરણા ગામના ફૌજી યુવાને યશસ્વી કારકિર્દી પૂર્ણ કરતા માતૃભૂમિમાં દબદબાભેર સ્વાગત કરાયુ
મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા
SHARE
મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા
મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ભારતી દ્વારા લેવામાં આવતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પ્રમાણપત્રો આપી ૩૪૭ સંસ્કૃત અનુરાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.જેમા ધોરણ ૬ થી ૧૨ ના ભાઈ-બહેનો, ઉપરાંત વાલીઓ, અન્ય વ્યવસાય-નોકરી કરતા ભાઈઓ-બહેનો, ગૃહિણીઓ વિગેરે સંસ્કૃત અનુરાગીઓ જોડાયા હતા અને આ માધ્યમથી સંસ્કૃતને પોતાના જીવનમાં પરિવારમાં, સમાજમાં સંસ્કૃતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ-પ્રયત્ન કર્યો હતો. સંસ્કૃતમાં રસરુચી ધરાવનાર દરેક ભાઈઓ-બહેનોને આહ્વાન છે આ માટે સંસ્કૃત આવડવું જરુરી જ છે એવું નથી, ઈચ્છા અને મન હોવું જોઈએ.તમે પણ જોડાઈ શકો છો અને વ્યક્તિત્વ વિકાસ, રાષ્ટ્ર વિકાસના કાર્યમાં ભાગીદાર થઈ શકો છો.તેમ નવનિર્માણ ક્લાસીસના સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ જણાવેલે છે