માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા-મહાપ્રસાદનું આયોજન


SHARE













મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા-મહાપ્રસાદનું આયોજન

મોરબીમાં કાલે વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં  સમાજના વધુમાં વધુ લોકોને જોડાવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


સમસ્ત કોળી સમાજ દ્વારા સમાજના ધર્મ ગુરુ વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે મોરબીમાં કાલે તા ૬ ના રોજ સવારે ૮ કલાકે  ભવ્ય શોભાયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ જડેશ્વર મંદિરથી શરૂ કરવામાં આવશે અને નેહરુગેટ થઈને ચુંવાળીયા કોળી સમાજની બોડિંગે પૂર્ણ કરવામાં આવશે ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને સમાજના તમામ લોકોને આ શોભાયાત્રામાં આવવા અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ અજયભાઈ લાભુભાઈ વાઘાણી, વિપુલભાઈ રમેશભાઈ ગણેશીયા, ગુજરાત પ્રદેશ ચુંવાળીયા કોળી સમાજના સહમંત્રી જગદીશભાઈ જી. બાંભણીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ ધોઘાભાઈ સુરેલા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News