મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા-મહાપ્રસાદનું આયોજન
વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ
SHARE
વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ
ઓખા રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ જતાં સમયે ઉમાલક્ષ્મીબેન જોષી નામના વૃદ્ધા ગુમ થતા અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેર પોલીસને તે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસની સી ટીમ દ્વારા અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં મહિલાનો ફોટો સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા ગામ પાસેથી આ વૃદ્ધા મળી આવ્યા હતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે મહિલા ઉમાલક્ષ્મીબેન જોષી હોવાનું સામે આવતા એલસીબી પશ્ચીમ રેલ્વે અમદાવાદનો સંપર્ક કરીને ગુમ થયેલ મહિલા મળી આવેલ હોવાની જાણ કરવામાં આવી હતી અને તે વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરવવામાં આવ્યું હતું આ કામગીરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટીમે કરેલ છે.