માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ


SHARE













વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ

ઓખા રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ જતાં સમયે ઉમાલક્ષ્મીબેન જોષી નામના વૃદ્ધા ગુમ થતા અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેર પોલીસને તે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસની સી ટીમ દ્વારા અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં મહિલાનો ફોટો સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા ગામ પાસેથી આ વૃદ્ધા મળી આવ્યા હતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે મહિલા ઉમાલક્ષ્મીબેન જોષી હોવાનું સામે આવતા એલસીબી પશ્ચીમ રેલ્વે અમદાવાદનો સંપર્ક કરીને ગુમ થયેલ મહિલા મળી આવેલ હોવાની જાણ કરવામાં આવી હતી અને તે વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરવવામાં આવ્યું હતું આ કામગીરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટીમે કરેલ છે.






Latest News