રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ


SHARE









વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ

ઓખા રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ જતાં સમયે ઉમાલક્ષ્મીબેન જોષી નામના વૃદ્ધા ગુમ થતા અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેર પોલીસને તે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસની સી ટીમ દ્વારા અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં મહિલાનો ફોટો સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા ગામ પાસેથી આ વૃદ્ધા મળી આવ્યા હતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે મહિલા ઉમાલક્ષ્મીબેન જોષી હોવાનું સામે આવતા એલસીબી પશ્ચીમ રેલ્વે અમદાવાદનો સંપર્ક કરીને ગુમ થયેલ મહિલા મળી આવેલ હોવાની જાણ કરવામાં આવી હતી અને તે વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરવવામાં આવ્યું હતું આ કામગીરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટીમે કરેલ છે.






Latest News