મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ


SHARE















મોરબીમાં કાલે હનુમાન જયંતીએ નવયુગ ગ્રૂપ બાનવશે નવો રેકોર્ડ: જેલ રોડે સુંદરકાંડ અને થોરાળા ગામે ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતી નિમિતે ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ ધ રેકોર્ડ બનાવવામાં આવશે ત્યારે હનુમાન દાદાની પ્રતિકૃતિની પેપર કોપી ઉપર રામ નામ લખવામાં આવશે અને તે રામ જાપ લખેલ કોપીઓને આયોધ્યા મંદિરે પહોંચાડાવામાં આવશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં જોડાવા માટે સંસાથના પ્રમુખ પી.ડી.કાંજીયા અને નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુંદરકાંડ યોજાશે
મોરબીમાં જેલ રોડે રામાનંદ ભવન ખાતે કાલે તા ૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ થી આ પાઠ શરૂ કરવામાં આવશે ત્યારે નંદલાલ મહારાજ, પરેશભાઈ રામાવત, રોહિતભાઈ કુબાવત, શાંતિલાલ નિમાવત, નરસંગદાસ નિમાવત સહિતના હાજર રહેશે. આ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે રામાનંદી સાધુ સમાજ મહિલા મંડળના પ્રમુખ અરુણાબેન રામાવત અને ઉપપ્રમુખ જાગૃતિબેન નિમાવતે આમંત્રણ આપ્યું છે.

થોરાળામાં ફ્રી નિદાન કેમ્પ
થોરાળા ગામે કાલે હનુમાન જયંતી નિમિત્તે સ્વ.મણીબેન નાનજીભાઈ અંબાણીના સ્મરણાર્થે કાન-નાક ગળાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં કાન નાક ગળાના નિષ્ણાત ડૉ.સુરભિ અંબાણી (Gold Medalist) દ્વારા રોગનું નિદાન કરીને સારવાર  કરવામાં આવશે તેમજ ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પ કાલે ૯ થી ૧૧ વાગ્યા સુધી રાખવામા આવેલ છે અને તે થોરાળા હાઇસ્કૂલ ખાતે યોજાશે ત્યારે સમસ્ત થોરાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.






Latest News