વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો
SHARE
વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો
વાંકાનેર તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર સમયાંતરે દીપડો દેખાદેતો હોય છે જેથી કરીને લોકોમાં ફફડાટ રહેતો હોય છે દરમિયાન આજે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે રાત્રિ દરમિયાન દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું છે અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા છે દરમિયાન મળતી માહિતી મુજબ છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું છે જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે આઠ અબોલ જીવનું મરણ કરવા ઉપરાંત બે થી ત્રણ જેટલા ઘેટા બકરાને ઘાયલ પણ કર્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે