મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જીઆરડી જવાનને છરીના આડેધડ ઘા ઝીંકવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં જીઆરડી જવાનને છરીના આડેધડ ઘા ઝીંકવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાને અગાઉ ગાળો બોલવાની ના પાડી હતી જે વાતનું મન દુઃખ રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પેટ, પડખા, માથા અને હાથમાં ઇજા થઈ હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી યુવાન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ વાધરવા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યોગેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા જાતે દરબાર (૨૯) એ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ રહે. હરીપાર્ક તથા તેની સાથે રહેલા અન્ય એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી કે, એકાદ મહિના પહેલા યુવરાજસિંહ તેઓની શેરીમાં ગાળો બોલતો હતો ત્યારે ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવરાજસિંહ અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સે ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારે યુવરાજસિંહ ગોહિલે છરી વડે ફરિયાદીને પેટ, પીઠ, માથા અને હાથના ભાગે ઘા ઝીકયા હતા અને ઇજા કરી હતી અને અન્ય અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા યોગેન્દ્રસિંહે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એલ. ઝાલા દ્વારા આરોપી યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ જાતે દરબાર (૨૦) રહે. હરીપાર્ક મોરબી-૨ અને રાજકુમાર ચત્રભૂજભાઈ વૈષ્ણવ જાતે બાવાજી (૨૨) રહે.લાલબાગ સરકારી કવાર્ટર મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે.

અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી હાઇવે ઉપર ઝુંપડપટ્ટી વિસ્તારમાં યોગી સ્કૂલ નજીક રહેતા વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ નવલખી હાઇવે ઉપર આવેલ યોગી વિદ્યાલયની સામેના ભાગે ઝૂંપરાપટ્ટીમાં રહેતા મણીબેન શાંતુભાઇ ગોહેલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધા યોગી સ્કૂલ નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે ત્યાં અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજા થતાં સારવાર માટે સિવિલે લવાયા હતા બનાવ સંદર્ભે હાલ પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે






Latest News