મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની મહિલા સહિત બે ની અમદાવાદના વેજલપુરમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ધરપકડ


SHARE













મોરબીની મહિલા સહિત બે ની અમદાવાદના વેજલપુરમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ધરપકડ

મોરબીના રહેવાસી એક મહિલા સહિત બે ઇસમોની હાલમાં અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટાફ દ્વારા અપરણના ગુનામાં ધરપકડ કરી તપાસના કામે સાથે લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૨૪૩/૨૩ થી નોંધાયેલ આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ અપહરણના ગુનામાં હાલમાં તપાસના કામે હેડ કોન્સ્ટેબલ પી.એસ.પટ્ટણી બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં સ્થાનીક પોલીસને સાથે રાખીને મોરબીના રોહીદાસપરા વિસ્તારની બાજુમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા મેહુલ દિલીપભાઇ જોગલ અને મનિષાબેન નુતનભાઇ પંડ્યા નામના બે લોકોની અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશને નોંધેલ અપહરણના ગુનામાં ધરપકડ કરી તેઓને તપાસના કામે અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં મહિલા ઇજાગ્રત થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે સુંદરમસાંઇ એપાર્ટમેન્ટમાં રહેતા રેખાબેન ગોપાલભાઈ ચૌહાણ નામની ૨૫ વર્ષીય મહિલાને એપાર્ટમેન્ટના પહેલા માળેથી પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થયેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે રેખાબેન તથા તેમના પતિ ગોપાલભાઈ ચૌહાણ બાઇકમાં શનાળા પાસે કામ ચાલતુ હોય ત્યાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકને કોઈ રીક્ષા ચાલકે હડફેટે લીધુ હતુ જે બનાવમાં રેખાબેનને ઈજા થયેલી હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની જયેશભાઈ કાનજીભાઈ બારોટ નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા પહોંચી હતી તે જ્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપરથી જતો હતો ત્યારે અજંતા ક્લોક નજીક તેને વાહન અકસ્માતમાં ઇજા થતા મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 






Latest News