મોરબીમાં છૂટક વ્યાપારીઓ બીનઅધિકૃત વજન કાંટાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ
SHARE
મોરબીમાં છૂટક વ્યાપારીઓ બીનઅધિકૃત વજન કાંટાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ
મોરબીમાં રોજીરોટી માટે અનેક રાજયોમાંથી કારીગરો મજુરો આવે છે. આને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં છૂટક ધંધાના વ્યાપારીઓ દુકાનો ધરાવે છે અને ધંધો કરે છે. આવા વ્યાપારીઓ વજન કરવા માટે વજન કાંટા (ત્રાજવા) ધરાવે છે પરંતુ આવા કાંટા તોલમાપ અધિકારી પાસે ચેક કરાવી માન્યતા મેળવ્યા વગર બીનઅધિકૃત રીતે ઉપયોગ કરે છે માન્યતા મેળવતા નથી અને આખરે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકો ગ્રાહકો જ છેતરાય છે તેથી મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે.
વધુમાં તેઓએ જણાવ્યું છેકે ઘણી બધી એવી છુટક વ્યાપારની દુકાનો શહેર મોરબીમાં તથા આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે પરંતુ હકીકતમાં તેનો વેપાર ધંધો મોટો હોયછે અને નાના મોટા કાંટાનો ઉપયોગકરતા હોય છે પરંતુ આવા તમામ કાંટા બીનઅધિકૃત એટલે કે આપની માન્યતા પ્રાપ્ત કર્યા વગરના હોય છે. જેથી કરીને લારીઓ, રસ્તા ઉપર બેસતા ધંધાર્થીઓ, છુટક ફેરીયાઓ તેમજ શેરીઓના ખાંચા ખુંચીમાં દુકાન ધરાવતા વેપારી પણ વજનમાં ઓછુ આપે છે તેવું જાણવા મળેલ છે અને ફરિયાદો પણ આવે છે. જે બાબત ધ્યાનમાં લઈ દરેક નાના મોટા છુટક વેપાર કરતા ધંધાર્થીઓ કે આવા માન્યતા પ્રાપ્ત કર્યા વગરના તોલ માપના કાંટાઓ વાપરે છે તેની તપાસ હાથ ધરી અને તે માન્યતા પ્રાપ્ત કરે તે માટે આપની કક્ષાએથી આવા વ્યાપારીઓ તોલમાપ કાંટાની માન્યતા પ્રાપ્ત કરે તે બાબતે ઘટતી કાર્યવાહી કરવાની રજૂઆત કરલે છે









