મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરા ગરબીચોકના પટ્ટમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE













વાંકાનેરના કુંભારપરા ગરબીચોકના પટ્ટમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્રણ જુગારીની રોકડા રૂપીયા ૧૫,૧૦૦ સાથે ધરપકડ કરીને જુગારધારા મુજબ ગુનો દાખલ કરાયો છે

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાંથી દારૂ જુગારની બદીને કડક હાથે ડામી દેવા સુચના આપેલ હોય વાંકાનેર સીટી પીઆઈ કે.એમ છાસીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હતા તે દરમ્યાન સ્ટાફના ધર્મરાજભાઇ ગઢવી તથા પ્રતિપાલસિંહને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના અને પૈસા વડે જુગાર રમે છે તેથી સ્ટાફે ત્યાં પહોંચીને રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા ગોપાલ દેવાભાઇ ગમારા જાતે ભરવાડ (ઉ.વ.૩૪) રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નંબર-૪, સુનીલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા (ઉ.વ-૩૨) રહે.વાંકાનેર ગાયત્રી મંદીર સામે મફતીયાપરા અને નરેશ રઘુભાઇ સારેસા (ઉ.વ.૪૨) રહે. આંબેડકરનગર વાંકાનેરની સ્થળ ઉપરથી રોકડા રૂપીયા ૧૫,૧૦૦ સાથે ધરપકડ કરીને જુગારધારા મુજબ ગુનો દાખલ કરાયો છે.આ રેડની કામગીરી યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી દ્રારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ સીએનજી પંપ નજીક અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા મહાવીરસિંહ મયુરસિંહ જાડેજા (૨૩) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ફુલતરીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News