મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ૩ વ્યક્તિ ઉપર આઠ શખ્સોએ ધારીયા, છરી અને પાઇપ વડે કર્યો જીવલેણ હુમલો


SHARE







વાંકાનેરના હસનપર ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ૩ વ્યક્તિ ઉપર આઠ શખ્સોએ ધારીયા, છરી અને પાઇપ વડે કર્યો જીવલેણ હુમલો

વાંકાનેરમાં હસનપર ગામે રહેતા યુવાને ત્રણેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખીને યુવતીના કુટુંબીઓ દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઇપ વડે યુવાન અને તેની સાથે રહેલ બે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાન સહિતના ૩ વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેઓને માથામાં ૧૫થી ૨૦ જેટલા ટકા આવ્યા હતા અને એક વ્યક્તિને પેટના ભાગે ઇજા કરી હોવાથી જેથી ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે લાવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં આઠ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસ રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના હસનપરમાં રહેતા ભરતભાઈ સતાભાઈ મુંધવા જાતે ભરવાડ (૩૩) એ હાલમાં પરબતભાઈ નાજાભાઇ, મશરૂભાઈ નાજાભાઇ, વિશાલભાઈ પરબતભાઈ, વિક્રમભાઈ પરબતભાઈ, બધાભાઈ હિંદુભાઈ, છગનભાઈ નાજાભાઇનો મોટો દીકરો અને બે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી યુવાને આરોપીની કૌટુંબિક દીકરી સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે રહેલ ઉત્તમસિંહ અને રાહુલ ઉપર આઠ શખ્સો દ્વારા ધારીયા, છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને આ હુમલામાં ફરિયાદી ભરતભાઈ અને રોહિતને માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી તેઓને ગંભીર થઈ હોય ૧૫થી ૨૦ જેટલા ટાંકા તેઓને માથામાં આવ્યા હતા તેમજ ઉત્તમસિંહને પેટના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા ત્રણેય વ્યક્તિઓએ સારવાર લીધા બાદ ભરતભાઈ મુંધવાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઠ શખ્સો ની સામે રાયોટીંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News