માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રહેતા વૃદ્ધે છાતીના દુખાવાથી કંટાળીને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE

















મોરબીના લાયન્સનગરમાં રહેતા વૃદ્ધે છાતીના દુખાવાથી કંટાળીને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

 મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ માળીયા વનાળીયા સોસાયટીની બાજુમાં લાયન્સનગરમાં રહેતા વૃદ્ધ અને છાતીમાં દુખાવો હોય દુખાવો મટતો ન હોવાથી તેણે પોતાના ઘરે રસોડામાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરે છે. 

બનાવના જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા વનાળીયા સોસાયટી પાસે લાયન્સનગર સોસાયટીમાં રહેતા મુળજીભાઇ રવજીભાઈ સોલંકી (ઉંમર ૬૫)એ તેના ઘરે રસોડામાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરનાર વૃદ્ધને છાતીમાં દુખાવાની બીમારી હતી અને જ્યારે દવા પીવે ત્યારે દુખાવો મટી જતો હતો જોકે દવા ન પીવે ત્યારે દુખાવો થતો હોવાના કારણે તેને લાગી આવતા તેમણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News