માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળિયા પાસે એરવાલ્વનું કામ કરનારને અહીંયા કામ બંધ કરો કહીને બે શખ્સોએ માર માર્યો


SHARE

















હળવદના નવા દેવળિયા પાસે એરવાલ્વનું કામ કરનારને અહીંયા કામ બંધ કરો કહીને બે શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના નવા દેવળિયા ગામ પાસે નર્મદા નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનમાં એર વાલ ઉભો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં આવીને ખેડૂતે "અહીંયા કામ બંધ કરો" કરીને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ઇજા કરી હતી અને વેલ્ડીંગનો સામાન લઈને ગયા તો જીવતા નહી છોડીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

 બનાવની જાણવા મળતી વિગતો મુજબ નવા દેવળિયા ગામની સીમ મહેન્દ્રભાઈ ઉર્ફે કાળુભાઈ રણછોડભાઈ પટેલના ખેતરની બાજુમાંથી નર્મદા નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલી જમીનમાં પાણીનો એરવાલ્વ મોકલવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન વરસાદ થતાં કંપનીના માણસો સામાન ભેગો કરીને રૂમ પર જવાની તૈયારી કરતા હતા ત્યારે આરોપી મહેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ અને ભરતભાઈ રહે બંને નવા દેવળીયા વાળા ત્યા આવ્યા હતા અને "અહીંયા કામ બંધ કરો" તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જતા જતા કહ્યું હતું કે "અહીંથી વેલ્ડીંગનો સામાન લઈને ગયા છો તો જીવતા નહીં છોડીએ" તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા ઇજાજભાઈ અહમદભાઈ મલીક જાતે મુસ્લીમ (ઉંમર ૨૯) રહેએલ એન્ડ ટીનું ગેસ્ટ હાઉસ હળવદ મૂળ વતન પશ્ચિમ બંગાળ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News