મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન તથા તેના બે મિત્રોને ૧૩ જેટલા શખ્સોએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે બનાવમાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે આવેલ બાલાજી પાંઉભાજી નજીક મારામારીનો બનાવ બન્યો હતો ત્યાર બાદ રાજેશ મનસુખભાઇ શેરસિયા જાતે પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેને રાજેશ ગોધવીયા સહિત કુલ મળીને ૧૩ શખ્સોની સામે ફરિયાદ કરી હતી અને મહેન્દ્રનગર ગામે રામનવમીની શોભાયાત્રાના રથમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ સમાધાન કરવા માટે બોલાવીને તેને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અગાઉ ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપી સલીમ ઉર્ફે સલો જુસબ કટીયા (ઉમર ૩૧) રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળાની મોરબી સીટી બી ડિવિઝન પીએસઆઇ જે.બી.રાણા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબીમાં અનેક સિરામિકના કારખાના, પેપરમીલ તેમજ સનમાઇકા સહિતના ધંધાકીય યુનિટ આવેલ છે જેમાં હજારો પરપ્રાંતિય મજૂરો કામ કરે છે જે પૈકી ઘણા મજૂરો તેઓના વિસ્તારમાં ગુના આચરીને ત્યાર બાદ અહીં મોરબી આવી જતા હોય છે અને અહીં રહી મજૂરી કામ કરતા હોય તેવું સામે આવે છે તેવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના બાગલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ.ભીલાળા અને હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાજપુત તેઓને મળેલ બાતમી અને ટેકનિકલ માહિતી આધારે તપાસના કામે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના બાગલી પોલીસ સ્ટેશનમાં અપહરણની નોંધાયેલી ફરિયાદમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પકસોના ગુનામાં ભોગ બનેલ સગીરા હાલમાં મોરબીના જેતપર રોડ ઉપરથી આરોપી ગુલશન ભૂરુંભાઇ ભીલ (ઉંમર ૨૧) હાલ રહે.જેતપર રોડ મોરબી-૨ મૂળ રહે. મધ્યપ્રદેશ વાળા સાથે મળી આવતા હાલ બંનેનો કબ્જો સંભાળીને તપાસના કામે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.






Latest News