હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ


SHARE













ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની સ્થાનિક પોલીસને લોકોએ જાણ કરી હતી જેથી મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ ઉપર પહોચ્યો હતો અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને ભાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે  

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી કરીને ત્યાં દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ આ અંગેની ટંકારા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ટંકારા મામલતદાર કેતન સખિયાની હાજરીમાં મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢી હતી અને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જાણવામાં આવેલ છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરણ જનારની હત્યા કરી તેના જાણીતાઓ દ્વારા જ તેની લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોય શકે છે અને જનાવરને તેની ગંધ આવતા તેને લાશને બહાર કાઢીને ફાડી ખાધી છે જો કે, ટંકારા પોલીસ દ્વારા હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે અને પુરૂષની લાશને જમીનમાં કોણે દાટી હતી અને ક્યા કારણેસર કોઈને જાણ કર્યા વગર લાશને દાટવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News