ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ પદે જયદીપ કનુભાઈ હુંબલની વરણી


SHARE











મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ પદે જયદીપ કનુભાઈ હુંબલની વરણી

માળીયા મિયાણા તાલુકાનાં વવાણિયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માતાજીનાં સાનિધ્યમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી અને ત્યારે મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના સંગઠનની રચના કરવામાં આવી છે જેમાં પ્રમુખ મોરબીમાં રહેતા જયદીપ કનુભાઈ હુંબલ (JAYDEEP HUMBAL) ની વરણી કરવામાં આવી છે ત્યારે ચોમેરથી તેને શુભકામનાઓ મળી રહી છે.

તાજેતરમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના નવા સંગઠનની રચના કરવામાં આવી છે અને તેમાં પ્રમુખ તરીકે જયદીપ કનુભાઈ હુંબલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ રાયધનભાઈ ખાંભરા અને હકાભાઇ બાબુભાઈ ચાવડા તેમજ મહામંત્રી તરીકે વિજયભાઈ પુનાભાઈ ફૂગશીયા, સહમંત્રી તરીકે ઉગાભાઇ ગોવિંદભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે જેને  સમાજના આગેવાનો સહિતના લોકોએ આવકારીને તમામ હોદેદારોને અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે આ સાથે એક કમિટી પણ બનાવવામાં આવી છે જેમાં સભ્ય તરીકે કાનાભાઈ રામભાઈ ચાવડા અને મયુરભાઈ ભાનુભાઈ સોનારાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ ખજાનચી તરીકે અજયભાઈ મેરામભાઇ ડાંગર અને કમિટી સભ્ય તરીકે પોલાભાઈ હમીરભાઈ મિયાત્રા, અશ્વિનભાઈ ખીમજીભાઈ ચાવડા, વિક્રમભાઈ હમીરભાઈ ચાવડા, અજયભાઈ ગોવિંદભાઈ બાલાસરા અને રાજેશભાઈ નારણભાઈ મંઢની વરણી કરવામાં આવી છે જેથી નવનિયુક્ત હોદેદારોને હાલમાં સમાજના આગેવાનો સહિતના લોકો તરફથી રૂબરૂ અને સોશ્યલ મીડિયાના મધ્યમથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે.






Latest News