વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE
મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસના પાણીના હોજમાં ન્હાવા માટે પડેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં રહેતા દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૪૮) મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નગરપાલિકાના ફિલ્ટર હાઉસ ખાતે ફિલ્ટર હાઉસના પાણીના હોજમાં ન્હાવા માટે પડ્યા હતા અને ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે સ્થળ ઉપર જ દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવતનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના ભાઈ ધર્મેન્દ્રભાઈ ગણપતદાસ અગ્રાવત (૫૧) રહે. પાંજરાપોળ ગૌશાળા સામે મોરબી વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે









