મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં નવરંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો
વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ
SHARE
વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ
મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત નારી સશક્તિકરણ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત તા. ૨૨ થી ૨૬ એપ્રિલ સુધી રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠ ખાતે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરાયું છે
યુગૠષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય રચિત ૧૯માં પુરાણ એટલે પ્રજ્ઞાપુરાણ જેમાં માનવજીવનની સમસ્યા અને આધ્યાત્મસભર સંદેશ આપેલા છે. તે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું વાંકાનેરની ગાયત્રી શકિતપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરીયા વક્તા રહેશે. તા. ૨૨ ને શનિવારે સાંજે ૫ કલાકે વાંકાનેરમાં આવેલ વૃંદાવન સોસાયટીથી ગાયત્રી મંદિર સુધી પોથીયાત્રા યોજાશે