મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે
SHARE
મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે
મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે આગામી તા૯ થી ૧૪ મે સુધી હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત સવારે અને બપોરે એમ બે બેચનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને બેચ શ્રી શ્રી હોલ, રવાપર રોડ ખાતે યોજાશે. જેમાં ટીચર મનસુખભાઈ અને નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહેશે.
આ હેપીનેસ પ્રોગ્રામમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારે ૫ થી ૮ ની બેચમાં જોડાવા માટે http://aolt.in/700317 આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીની બેચમાં જોડાવા માટે http://aolt.in/700319 આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડિયા ૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડિયા ૯૯૨૫૧ ૦૮૪૨૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે