મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું


SHARE









મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું

મોરબીમાં નીલકંઠ વિધાલય ખાતે પુસ્તક દિન નિમિતે 'ભારતીય વિચાર મંચ-મોરબી' દ્રારા કવિ સંમેલન યોજાયું હતુ.જેમાં મોરબીના ૧૫ જેટલાં લોકપ્રિય કવિઓની 'સાંપ્રત કે શાશ્વત ભારતીય સત્ત્વ તત્ત્વ' વિષય પર  સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી.જેનો  મોરબીના સાહિત્યપ્રેમી નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

કાવ્યધારામાં તરબોળ કરનારા કવિઓમાં કવિ બીપીન"મધુર", શૈલેન મહેતા, કવિ જલરૂપ, ડૉ.ભાવેશ જેતપરીયા, સંજયભાઈ બાપોદરીયા "સંગી", જયેશભાઇ બાવરવા, કવિયત્રી ઉષાબેન જાદવ, જાગૃતિ તન્ના "જાનકી", સાહિત્ય મર્મી અમૃતલાલ કાંજિયા, આંબાલાલ પટેલ, રાજેશભાઈ વ્યાસ, કવિયત્રી જીવતીબેન પીપલિયા, મેહુલભાઈ બારોટ, નિરજભાઈ ત્રિવેદી, રવીન્દ્રભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ કાલરિયા, ડો.વિજય ગઢીયા વિગેરે હાજર રહ્યા હતા.તમામ કવિઓએ પોતાના અલગ અંદાજમાં કાવ્યપઠન દ્વારા દાદ મેળવી હતી

આ પ્રસંગે ખાસ ડૉ.ભાડેશિયાની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહી અને ડૉ.સતીશભાઈ પટેલનું મનનીય પ્રવચન અને નવોદિત કવિઓને સાહિત્યિક માર્ગદર્શન સાંપડ્યું હતુઅને સાહિત્ય અને કવિતા ક્ષેત્રે આગળ વધવા સૌ કવિમિત્રોને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા.નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતુભાઈ વડસોલાએ ખાસ હાજરી આપી હતી.આ સાથે સાહિત્ય આયામના શૈલેષ કાલરિયાએ ભારતીય વિચારમંચ દ્વારા પ્રકાશિત પુસ્તકોની પુસ્તક વેચાણની 'શુભેચ્છક ગ્રાહક મિત્ર યોજના'નો શુભારંભ થયો. જેના સૌ પ્રથમ ગ્રાહક નિલેશભાઈ કૈલા બન્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં  ભારતીય વિચાર મંચના સક્રિય કાર્યકરો જશવંતભાઈ મીરાણી, મીલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, ઉમેશભાઈ પટેલ, પાર્થ શેરસિયાએ જહેમત ઉઠાવી હતી.વિચાર મંચ દ્વારા કવિઓને સન્માનપત્ર આપી પુરસ્કૃત કર્યા હતા. કવિ જલરૂપે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.તેમ ભારતીય વિચારમંચના શૈલેષ કાલરિયાએ જણાવેલ છે






Latest News