હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું


SHARE













મોરબીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલયમાં કવિ સંમેલન યોજાયું

મોરબીમાં નીલકંઠ વિધાલય ખાતે પુસ્તક દિન નિમિતે 'ભારતીય વિચાર મંચ-મોરબી' દ્રારા કવિ સંમેલન યોજાયું હતુ.જેમાં મોરબીના ૧૫ જેટલાં લોકપ્રિય કવિઓની 'સાંપ્રત કે શાશ્વત ભારતીય સત્ત્વ તત્ત્વ' વિષય પર  સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી.જેનો  મોરબીના સાહિત્યપ્રેમી નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

કાવ્યધારામાં તરબોળ કરનારા કવિઓમાં કવિ બીપીન"મધુર", શૈલેન મહેતા, કવિ જલરૂપ, ડૉ.ભાવેશ જેતપરીયા, સંજયભાઈ બાપોદરીયા "સંગી", જયેશભાઇ બાવરવા, કવિયત્રી ઉષાબેન જાદવ, જાગૃતિ તન્ના "જાનકી", સાહિત્ય મર્મી અમૃતલાલ કાંજિયા, આંબાલાલ પટેલ, રાજેશભાઈ વ્યાસ, કવિયત્રી જીવતીબેન પીપલિયા, મેહુલભાઈ બારોટ, નિરજભાઈ ત્રિવેદી, રવીન્દ્રભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ કાલરિયા, ડો.વિજય ગઢીયા વિગેરે હાજર રહ્યા હતા.તમામ કવિઓએ પોતાના અલગ અંદાજમાં કાવ્યપઠન દ્વારા દાદ મેળવી હતી

આ પ્રસંગે ખાસ ડૉ.ભાડેશિયાની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહી અને ડૉ.સતીશભાઈ પટેલનું મનનીય પ્રવચન અને નવોદિત કવિઓને સાહિત્યિક માર્ગદર્શન સાંપડ્યું હતુઅને સાહિત્ય અને કવિતા ક્ષેત્રે આગળ વધવા સૌ કવિમિત્રોને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા.નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતુભાઈ વડસોલાએ ખાસ હાજરી આપી હતી.આ સાથે સાહિત્ય આયામના શૈલેષ કાલરિયાએ ભારતીય વિચારમંચ દ્વારા પ્રકાશિત પુસ્તકોની પુસ્તક વેચાણની 'શુભેચ્છક ગ્રાહક મિત્ર યોજના'નો શુભારંભ થયો. જેના સૌ પ્રથમ ગ્રાહક નિલેશભાઈ કૈલા બન્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં  ભારતીય વિચાર મંચના સક્રિય કાર્યકરો જશવંતભાઈ મીરાણી, મીલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, ઉમેશભાઈ પટેલ, પાર્થ શેરસિયાએ જહેમત ઉઠાવી હતી.વિચાર મંચ દ્વારા કવિઓને સન્માનપત્ર આપી પુરસ્કૃત કર્યા હતા. કવિ જલરૂપે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.તેમ ભારતીય વિચારમંચના શૈલેષ કાલરિયાએ જણાવેલ છે






Latest News