મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વધુ એક બાઇકની ચોરી : મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈક ચોરાયુ


SHARE















વધુ એક બાઇકની ચોરી : મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈક ચોરાયુ

મોરબી શહેરના જુના બસ સ્ટેશનમાં આવેલ પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા આધેડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ધીરુભાઈ જાદવજીભાઈ ડાભી જાતે કોળી (ઉમર ૫૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશનના પાર્કિંગમાં બાઈક નંબર જીજે ૩ એફઇ ૫૬૦૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફીનાઇલ પી જતા મહિલા સારવારમાં

મોરબીના વાકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના રોમેક્સ સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પ્રભાતસિંગ બાપીસિંગ નામના ૩૫ વર્ષીય મહિલા યુનિટમાં આવેલ તેમના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા અને રાઈટર સંજયભાઈ આહિરે તપાસ કરતાં પરિણીતા ભૂલથી ફિનાઈલ પી ગઇ હોવાનું ખુલ્યું હતું.!






Latest News