મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વધુ એક બાઇકની ચોરી : મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈક ચોરાયુ


SHARE









વધુ એક બાઇકની ચોરી : મોરબીમાં જૂના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈક ચોરાયુ

મોરબી શહેરના જુના બસ સ્ટેશનમાં આવેલ પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા આધેડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ધીરુભાઈ જાદવજીભાઈ ડાભી જાતે કોળી (ઉમર ૫૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશનના પાર્કિંગમાં બાઈક નંબર જીજે ૩ એફઇ ૫૬૦૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફીનાઇલ પી જતા મહિલા સારવારમાં

મોરબીના વાકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના રોમેક્સ સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પ્રભાતસિંગ બાપીસિંગ નામના ૩૫ વર્ષીય મહિલા યુનિટમાં આવેલ તેમના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા અને રાઈટર સંજયભાઈ આહિરે તપાસ કરતાં પરિણીતા ભૂલથી ફિનાઈલ પી ગઇ હોવાનું ખુલ્યું હતું.!






Latest News