મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદના રાણેપર રોડે બાઈકથી કાવા મારવા બાબતે થયેલ ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઈ


SHARE









હળવદના રાણેપર રોડે બાઈકથી કાવા મારવા બાબતે થયેલ ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઈ

હળવદના રાણેપર રોડ ઉપર રહેતા યુવાનને “તું કેમ તારા મોટર સાયકલને કાવા મારેશ એવું કહીને ગાળો આપી ઝઘડો કર્યો હતો અને ત્યારે ફરિયાદીના માતા, પિતા અને ભાઈ ત્યાં આવી જતા સામેવાળાએ તેના પિતા અને ભાઈને ફોન કરીને બોલાવ્યા હતા જેથી કરીને ત્રણ શખ્સોએ ધોકા વડે ફરિયાદી, તેની માતા અને ભત્રીજાને માર માર્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર ગામ બાઈકના કાવા મારવા બાબતે થોડા દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાય છે અને તેમાં કલ્પેશભાઈ ઉર્ફે રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા જાતે કોળી (૨૧)એ રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા, નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા અને સાગરભાઇ નવઘણભાઈ ઉડેચા રહે. ત્રણેય જૂના રાણેકપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યુ છે કે, રાજુભાઈ નવઘણભાઈ ઉડેચાએ તેને ઉભો રાખીને “તું કેમ તારા મોટર સાયકલને કાવા મારેશ એવું કહીને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો જેથી કરીને દેકારો થતાં ફરિયાદી કલ્પેશભાઈના માતા, પિતા અને ભાઈ ત્યાં આવી ગયા હતા દરમિયાન આરોપી રાજુભાઈએ ફોન કરીને તેના પિતા અને ભાઈને સ્થળ ઉપર બોલાવતા તે બંને હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને ત્યારે નવઘણભાઈએ ફરિયાદીના ભત્રીજા યુવરાજને કપાળના ભાગે માથા ઉપર માર મારીને ઇજા કરી હતી જ્યારે સાગરે ધોકા વડે ફરિયાદીની માતાને કોણીના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી તેઓને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં કલ્પેશભાઈ બાબરીયાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજીવીજ શરૂ કરી છે.

ભલગામમાં મારામારીમાં ત્રણને ઈજા

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ભલગામમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં હનુમાન મંદિર પાસે થયેલ મારામારીમાં ઇજાઓ થતા વિજય રમેશભાઈ ઉઘરેજા (૩૨), પ્રભુભાઇ સુરાભાઈ દેત્રોજા (૭૫) અને હરેશ પ્રભુભાઈ દેત્રોજા (૩૦) એમ ત્રણને ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે હાલ એ ડિવિઝન પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી હોવાનું અને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News