મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં ભેખડની વાડીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબીમાં ભેખડની વાડીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ભેખડની વાડીમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મહિલાનો પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ભેખડની વાડીમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા ચંદ્રકાંતભાઈ નરસીભાઇ પરમાર જાતે સતવારા (૨૬) ના પત્ની ચંદ્રિકાબેન પરમાર (૨૩) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને તેના પતિ ચંદ્રકાંતભાઈ પરમાર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવ અંગે મૃતક મહિલાના પતિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે જોકે મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે બાબતે હજુ કોઈ કારણ સામે આવ્યો નથી

મારામારીમાં ઇજા
મોરબી શહેરના વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં કબીર આશ્રમ સામે રહેતા નીતિનભાઈ મનસુખભાઈ (૩૧) નામના યુવાનને કૂલીનગરમાં આવેલ મસ્જિદ પાસે મારામારીનો બનાવ બન્યો હતો તેમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે






Latest News