મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ભેખડની વાડીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE















મોરબીમાં ભેખડની વાડીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ભેખડની વાડીમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મહિલાનો પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ભેખડની વાડીમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા ચંદ્રકાંતભાઈ નરસીભાઇ પરમાર જાતે સતવારા (૨૬) ના પત્ની ચંદ્રિકાબેન પરમાર (૨૩) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને મૃતક મહિલાના ડેડબોડીને તેના પતિ ચંદ્રકાંતભાઈ પરમાર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવ અંગે મૃતક મહિલાના પતિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે જોકે મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે બાબતે હજુ કોઈ કારણ સામે આવ્યો નથી

મારામારીમાં ઇજા
મોરબી શહેરના વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં કબીર આશ્રમ સામે રહેતા નીતિનભાઈ મનસુખભાઈ (૩૧) નામના યુવાનને કૂલીનગરમાં આવેલ મસ્જિદ પાસે મારામારીનો બનાવ બન્યો હતો તેમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે






Latest News