વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં આજે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી તેમજ રામાનુજાચાર્ય મહારાજની જન્મ જયંતિ તથા સોમનાથ સ્થાપત્ય દિવસ હોય મોરબી ત્રિપાખ સાધુ સમાજ દ્વારા મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રિપાખસાધુ સમાજ એટલે કે દશનામ ગોસ્વામી સમાજ, રામાનંદી સાધુ સમાજ અને માર્ગી વૈષ્ણવ સાધુ સમાજના લોકો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા અને દરેક સાધુના ઘરે આસોપાલવનું તોરણ બાંધી આંગણામાં રંગોળી પુરી શંકરાચાર્ય મહારાજનું પૂજન કરી અને આજુબાજુમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢથી શોભાયાત્રા નીકળી હતી અને ગ્રીનચોક, નેહરુ ગેઇટ, તખતસિંહજી રોડ, સુપર ટોકીઝ, રેલ્વે સ્ટેશન થઈ શંકર આશ્રમ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે મોરબી ત્રીપાક સાધુ સમાજના પ્રમુખ સુખરામ બાપુ, મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત તથા વૈષ્ણવ માર્ગી સમાજના પ્રમુખ યોગેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News