મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ
મોરબીમાં આજે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી તેમજ રામાનુજાચાર્ય મહારાજની જન્મ જયંતિ તથા સોમનાથ સ્થાપત્ય દિવસ હોય મોરબી ત્રિપાખ સાધુ સમાજ દ્વારા મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રિપાખસાધુ સમાજ એટલે કે દશનામ ગોસ્વામી સમાજ, રામાનંદી સાધુ સમાજ અને માર્ગી વૈષ્ણવ સાધુ સમાજના લોકો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા અને દરેક સાધુના ઘરે આસોપાલવનું તોરણ બાંધી આંગણામાં રંગોળી પુરી શંકરાચાર્ય મહારાજનું પૂજન કરી અને આજુબાજુમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢથી શોભાયાત્રા નીકળી હતી અને ગ્રીનચોક, નેહરુ ગેઇટ, તખતસિંહજી રોડ, સુપર ટોકીઝ, રેલ્વે સ્ટેશન થઈ શંકર આશ્રમ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે મોરબી ત્રીપાક સાધુ સમાજના પ્રમુખ સુખરામ બાપુ, મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત તથા વૈષ્ણવ માર્ગી સમાજના પ્રમુખ યોગેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા









