મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ


SHARE















મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં આજે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી તેમજ રામાનુજાચાર્ય મહારાજની જન્મ જયંતિ તથા સોમનાથ સ્થાપત્ય દિવસ હોય મોરબી ત્રિપાખ સાધુ સમાજ દ્વારા મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રિપાખસાધુ સમાજ એટલે કે દશનામ ગોસ્વામી સમાજ, રામાનંદી સાધુ સમાજ અને માર્ગી વૈષ્ણવ સાધુ સમાજના લોકો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા અને દરેક સાધુના ઘરે આસોપાલવનું તોરણ બાંધી આંગણામાં રંગોળી પુરી શંકરાચાર્ય મહારાજનું પૂજન કરી અને આજુબાજુમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢથી શોભાયાત્રા નીકળી હતી અને ગ્રીનચોક, નેહરુ ગેઇટ, તખતસિંહજી રોડ, સુપર ટોકીઝ, રેલ્વે સ્ટેશન થઈ શંકર આશ્રમ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે મોરબી ત્રીપાક સાધુ સમાજના પ્રમુખ સુખરામ બાપુ, મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત તથા વૈષ્ણવ માર્ગી સમાજના પ્રમુખ યોગેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News