હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં આજે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી તેમજ રામાનુજાચાર્ય મહારાજની જન્મ જયંતિ તથા સોમનાથ સ્થાપત્ય દિવસ હોય મોરબી ત્રિપાખ સાધુ સમાજ દ્વારા મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રિપાખસાધુ સમાજ એટલે કે દશનામ ગોસ્વામી સમાજ, રામાનંદી સાધુ સમાજ અને માર્ગી વૈષ્ણવ સાધુ સમાજના લોકો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા અને દરેક સાધુના ઘરે આસોપાલવનું તોરણ બાંધી આંગણામાં રંગોળી પુરી શંકરાચાર્ય મહારાજનું પૂજન કરી અને આજુબાજુમાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢથી શોભાયાત્રા નીકળી હતી અને ગ્રીનચોક, નેહરુ ગેઇટ, તખતસિંહજી રોડ, સુપર ટોકીઝ, રેલ્વે સ્ટેશન થઈ શંકર આશ્રમ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે મોરબી ત્રીપાક સાધુ સમાજના પ્રમુખ સુખરામ બાપુ, મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત તથા વૈષ્ણવ માર્ગી સમાજના પ્રમુખ યોગેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News