મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી યુવતી ગુમ


SHARE







મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી યુવતી ગુમ

મૂળ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના વતની અને હાલ મજુરીકામ સબબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામ પાસે આવેલ નળિયાના કારખાનામાં રહેતા પરિવારની યુવતી ત્રણ માસ પહેલા ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય હાલ તેણીના નાના ભાઈ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરીને યુવતીની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા કલ્પેશ અરજણભાઈ ગોહેલ (ઉંમર ૨૪) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથક ખાતે આવી જાહેરાત કરી હતી કે, ગત તા.૨૭ જાન્યુઆરીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓની મોટી બહેન ગૌરીબેન અરજણભાઈ ગોહેલ (ઉંમર ૩૨) મૂળ રહે.બહાદુરગઢ હાલ રહે. મકનસર કૃષ્ણ વિજય નડિયાના કારખાનાની ઓરડીમાં વાળી મકનસર ગામેથી કોઈને કંઈ પણ કહયા વગર કયાંક ચાલ્યા ગયેલ છે હાલ ઉપરોક્ત બનાવની જાણ થતા તાલુકા પોલાસ દ્રારા હાલ ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવેલ છે જેની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ બોરીયાપાટી પાસે જોધાણીની વાડીમાં રહેતો હરજીવનભાઈ ભીખાભાઈ ચાવડા (૨૦) નામનો યુવાન પોતાનું બાઈક લઈને કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી આ બનાવમાં ઈજા થવાથી યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો મહેશ પ્રેમજીભાઈ ચાવડા (૨૬) નામનો યુવાન મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સ્મશાન પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News