મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

રાજ્યમાં અનેક કૌભાંડોને ખુલ્લા પાડનાર યુવરાજસિંહ સામેના કેસ પાછા ખેંચવાની વાંકાનેર આમ આદમી પાર્ટીની માંગ


SHARE













રાજ્યમાં અનેક કૌભાંડોને ખુલ્લા પાડનાર યુવરાજસિંહ સામેના કેસ પાછા ખેંચવાની વાંકાનેર આમ આદમી પાર્ટીની માંગ

વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપવામાં આપવામાં આવ્યું હતું ત્યારે એવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી છે ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અનેકો યુવાનોની મહેનતરૂપિયાસમય અને આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ છે. આવા દરેક બનાવ વખતે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા છે અને તેનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કળી મળી છે એ વાત અલગ છે કે, દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી લેવામાં આવી નથી

ત્યારે ખરેખર તો રાજ્યના યુવાનોના સપનાને જીવનદાન આપવાએમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઈએ. એને બદલેજેમને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ, આરોપીઓ આંગળી ચીંધે અને જે ખુદ આરોપી કે ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવાગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માગવાએ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળીને મુખ્યમોટા માથાઓ જે અત્યાર સુધીના પેપર લીકડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માગતીનેએ પણ એક મોટો સવાલ ઉભો થયો છે.

ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા જે માગણી કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવેસમગ્ર કાંડની પોલીસ ને બદલે હાઇકોર્ટ/નિવૃત્ત સુપ્રીમ, ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવેતમામ પેપર લીકડમી ભરતીડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે તેનો સમાવેશ થાય છે અને પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના અલીભાઈ હાજીસહેબઅર્જુનસિંહ વાળાયાકુબ કડીવારતોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી સહિતના હાજર રહ્યા હતા






Latest News