ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
SHARE
ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
ટંકારા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનમાં મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, સમિતિના સભ્યો, સરપંચ અને મંત્રીની હાજરીમાં બેઠક મળી હતી જેમાં ગ્રામ પંચાયત ટંકારાના સફાઇ કર્મચારી નાથાભાઈ વાઘેલાનું નિધન થયું હોવાથી બે મિનિટનું મૌન પાળી સભાની શરૂઆત કરવામાં આવી હતી આ બેઠક સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં મીનાબેન દિવ્યેશભાઈ મહેતા, સોનલબેન રાજેશભાઈ બારૈયા, લાલજીભાઈ વાલજીભાઈ ગેડીયા, હેમંતભાઇ ચાવડા, સરપંચ અને ઉપસરપંચ તેમજ તલાટી કમ મંત્રી જાડેજા સહિતના હાજર રહ્યા હતા આ મિટિંગમાં ટંકારાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમુદાયના લોકોના વિસ્તારના ઉત્થાન અને પાયાના વિકાસના કામો જેવા કે રસ્તા, લાઈટ, અને પાણીના કામો પર ભાર આપવામાં આવ્યો હતો નવ નિયુક્ત ટંકારા ગ્રામ પંચાયતની રચના બાદ બીજી વખત સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી હતી. જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિના વિસ્તારના વિકાસના કામ માટે ચાલુ સત્વારે વર્ષ ૨૦૨૩/૨૪ની સરકારની ગ્રાન્ટ ફાળવવી, મકાન પરથી પસાર થતા ઇલેક્ટ્રીકના તાર બદલાવવા, ટીસી ફેરવવું વગેરે જેવા મુદ્દાઓની સભ્યો દ્વારા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી અને તલાટી કમ મંત્રી જાડેજાએ મિટીંગમાં થયેલ ચર્ચા અને લેખીત મુદ્દાઓની નોંધ લીધી હતી