મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના હળવદ, ટંકારા અને માળીયામાં સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા ૮૨ માંથી ૭૭ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ


SHARE













મોરબી જીલ્લાના હળવદ, ટંકારા અને માળીયામાં સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા ૮૨ માંથી ૭૭ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલના વડાપ્રધાન તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. ત્યારથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાલુ છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ, ટંકારા અને માળીયા મિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે જુદાજુદા ત્રણ કાર્યક્રમ યોજાયા હતા

 હળવદમાં મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ ખાતાને લગતા ૨૨ પ્રશ્નો રજૂ થયેલ હતા. જેમાંથી ૨૧ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.  અને ૨૧ પ્રશ્નોના સ્થળ પર જ  હકારાત્મક નિકાલ થતાં સ્વાગત કાર્યક્રમમાં ગ્રામજનો તથા લાભાર્થીઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા સંકલન અધિકારીઓ નગરપાલિકાના વહીવટદાર તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે ટંકારા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ટંકારાના નોડલ અધિકારી સુશ્રી આઈ.પી. મેરની હાજરીમાં ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં યોજાયો હતો જેમ પી.જી.વી.સી.એલ., તાલુકા પંચાયત, જળ સિંચન, એસ.ટી. ડેપો, આર.એન.બી. સ્ટેટ મોરબી અને મહેસુલ કચેરીને લગતા વિવિધ સહાય દાખલાઓ તથા અન્ય હેતુ વિષયક પ્રશ્નો રજૂ થયેલા હતા. ત્યારે ૨૨ પ્રશ્નો રજૂ થયા હતા તેમાંથી ૧૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે માળિયા મીયાણા નગરપાલિકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ નોડલ અધિકારી ડી.સી. પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો જેમાં વિવિધ ખાતાને લગતા ૩૮ પ્રશ્નો રજૂ થયેલ હતા. જે તમામ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં તાલુકા સંકલન અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News