હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠે કાલથી ત્રિદિવસીય મહોત્સવ


SHARE













વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠે કાલથી ત્રિદિવસીય મહોત્સવ

નવચેતના જાગરણ, 24 કુંડી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ: તૈયારીઓને આખરી ઓપ


વાંકાનેરમાં યુગઋષિ પંડિત શ્રીરામશર્મા આચાર્ય રચિત આધ્યાત્મસભર સંદેશ એટલે નવચેતના જાગરણ તથા 24 કુંડી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવની ગાયત્રી શક્તિ પીઠ ખાતે આવતીકાલ તા.27-4 થી તા.29-4 એમ ત્રિદીવસીય ધામધૂમથી ઉજવણી કરવામાં સમગ્ર મોરબી ગાયત્રી પરિવાર તથા વાંકાનેર ગાયત્રી શક્તિ પીઠના સેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમના ભાગરૂપે તા.27-4 ના રોજ સાંજે 4થી6 ભવ્ય શોભાયાત્રા તથા કળશયાત્રા તેમજ 6થી7 યુગસંગીત અધ્યાત્મ પ્રવચન

તેમજ 28-4ના રોજ સવારે 6થી7 ધ્યાન સાધના, પ્રજ્ઞાયોગ તથા દેવપૂજન સંસ્કારો તેમજ સાંજે 4થી6.30 સંમેલન તથા દીપયજ્ઞ તેમજ તા.29-4ના રોજ સવારે 6થી7 ધ્યાન સાધના ત્યારબાદ આઠ કલાકથી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ શરૂ થઈ. બપોરે 12 કલાકે બીડુ હોમાશે ત્યારબાદ મંત્રદીક્ષા બાદ પુર્ણાહુતિ થશે. દરેક ભાવિક ભકતજનો એ ઉપરોક્ત સમય દરમ્યાન ઉત્સવોનો લાભ લેવા મોરબી જીલ્લા ગાયત્રી પરિવાર તથા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્ચિનબાપુ રાવલ દ્વારા જણાવાયુ છે.

ઉપરાંત તા.29-4 ના રોજ વિદ્યારંભ સંસ્કાર, યજ્ઞોપવિત તેમજ આદર્શ લગ્ન કોઈપણ સંસ્કાર ખાસ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા કરાવવામાં આવશે. આ સંસ્કારમાં ભાગ લેવા અગાઉથી નામ નોંધાવું ફરજીયાત છે. નામ નોંધાવવા માટે મહંત અશ્ચિનભાઈ રાવલ મો. 98251 20978, રાહુલભાઈ જોબનપુત્રા મા. 92650 66096, ભાવેશભાઈ વ્યાસ મો. 98790 64814 તથા ઈલાબેન સચાણીયા મો. 79906 43667 ઉપર સંપર્ક કરી શકાશે.






Latest News