માળીયા (મી)ના વર્ષામેડી પાસે મીઠાના કારખાનામાં ઈલેક્ટ્રીક સોટ લગતા યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ
SHARE
મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ
મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે પાંજરાપોળના ગોડાઉનમાં ગઇકાલે આગ લાગુ હતી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને બે ટીમો દ્વારા સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી વધુમાં મળતી માહિતી મુજબ ગોડાઉનમાં પડેલા ઘાસના જથ્થામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થયો છે જોકે, પાંજરાપોળમાં રાખવામા આવેલા ગૌવંશ સલામત છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મંદિર પાસે બાવળની જાળીમાં આગ લાગી હતી જેથી કરીને ફાયરની ટીમને ત્યાં મોકલવામાં આવી હતી અને આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી