મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી મૃત હાલતમાં મળી આવેલ બીનવારસી યુવાનની ઓળખ માટે તજવીજ
SHARE
મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી મૃત હાલતમાં મળી આવેલ બીનવારસી યુવાનની ઓળખ માટે તજવીજ
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી થોડા દિવસો પહેલા એક યુવાનના મૃતદેહ મળી આવ્યો હતો અને તે અંગે મૃતક યુવાનનું પીએમ કરાવવામાં આવ્યા બાદ હાલ તે મૃતક યુવાન કોણ છે..? તે જાણવા માટે અને તેના વાલી વારસનો પતો મેળવવા માટે સીટા એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને થયેલ નોંધ મુજબ મરણ જનાર કોઇ અજાણ્યો પુરુષ (ઉ.વ.આશરે ૨૮) તા.૨૫-૪ ના રોજ મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ બાલાજી મોબાઇલની દુકાન પાસે રોડ ઉપર કોઇ કારણોસર મરણ ગયેલ હોય જે મૃતક યુવાન શરીરે પાતળા બાંધાનો, વાને ઘંઉવર્ણ, માથાના ભાગે ટુંકા કાળા વાળ તથા કબુતરી કલરનું પેન્ટ પહેરેલ છે અને જમણા હાથે ગુજરાતીમા 'રાજેશ' તથા અંગ્રેજીમા 'આરઆરબી' તથા કોણી પાસે 'આર' ત્રોફાવેલ છે.આ મૃતક યુવાનના વાલી વારસ મળી આવેલ ન હોય જો કોઇને આ બાબતે જાણકારી હોય તો તપાસ અધીકારી એ.એમ.ઝાપડીયાના મોબાઇલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર (૦૨૮૨૨) ૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવો તેમ મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ એચ.એ.જાડેજાએ યાદીમાં જણાવેલ છે.