હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અનુ.જાતિ.સમાજ સાથે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કામ ન થતાં હોવાની રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં અનુ.જાતિ.સમાજ સાથે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કામ ન થતાં હોવાની રજૂઆત

મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજના આગેવાનોના પ્રતિનિધી મંડળ દ્રારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરીને જણાવવામાં આવેલ છે કે અમારા સમાજના લોકો પ્રત્યે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કોઈપણ કામ થતાં નથી.જેથી યોગ્ય સુચનાઓ આપવા માંગ કરાયેલ છે.

જેમાં મોરબીના ધુળકોટ ગામે ૧૪ એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની તસ્વીરનો નાશ કરી અનુ.જાતિ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હતી. અન્ય બનાવમાં ઘણા સમયથી કાલીકાનગરના અરજદારો દ્વારા પોતાના વડીલો પાર્જીત મિલકત સંબધે ન્યાય ન મળતા ચાલી રહેલ આંદોલનમાં ન્યાય આપવો.તેમજ મોરબીના ચાંચાપર ગામે આવેલ અનુ.જાતિ સમાજના જુના રાજાશાહી વખતના સ્મશાન ઉપર કબ્જા બાબતે તપાસ કરી ન્યાય આપવવાની માંગ કરવામાં આવેલ છે.

તેમજ મોરબીના સોખડા ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને કરેલ રજુઆતોનો યોગ્ય નિકાલ,બહાદુરગઢ ગામે કલ્પેશ ગોહિલના બેનને ગુમશુધા હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ થયેલ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરેલ હોય જે અંગે તપાસ કરવા, તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અનુ.જાતિના વિસ્તારોમાં આવારા તત્વો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ચાલુ હોય જે બંધ કરાવવા, માળીયા-વનાળીયા પ્રા.શાળા છેલ્લા બે વર્ષથી પાડી દીધેલ છે.જેના કારણે અનુ.જાતિ સમાજના બાળકોને રેલ્વેના પાટા ઓળંગી જાનના જોખમે દુર સુધી અભ્યાસે જવું પડતું હોય જે બાબતે નજીકના વિસ્તારમાં કામ ચલાઉ વ્યવસ્થા કરવા તેમજ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સમાજના અરજદારોની રજૂઆતોને તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી માંગ મોરબીના અનુ.જાતિ સમાજના આગેવાનોએ જીલ્લા કલેકટર પંડયાને કરી હતી.






Latest News