મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર (મહેન્દ્રપુર) શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE







ટંકારાના મોટા રામપર (મહેન્દ્રપુર) શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ટંકારા તાલુકાના મોટા રામપર (મહેન્દ્રપુર) ગામે બિરાજમાન અને નાના રામપર, ઉમિયાનગર, નશીતપર એમ ચારેય દિશાઓમાં રક્ષણ અને પોષણ કરતા શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પુર્ણ થવાના પાવન અવસર ઉપર ત્રિદિવસીય પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છ.જેમા રામ-લક્ષ્મણ જાનકી તથા શિવ પરિવારના પાર્વતીજી, ગંગાજી કુર્મ નારાયણ નંદી કેસ્વર તેમજ નિર્માણ થયેલ ભવ્ય મંદિર નિર્માણ થયેલ છે.આ મંગલમય ત્રણ દિવસના મહાયજ્ઞમાં શ્રી નારીચાણીયા હનુમાનજીની કૃપા પ્રસન્નતા અને આશિર્વાદ મેળવવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જેમા પ્રથમ દિવસ તા.૨૯ ના ગણપતિ પુજન પુણયવાચન, માતૃકા પુજન નાન્દી શ્રાદ્ધ આચાર્યાદી ત્રુત્વિજવરણ ધર્મરક્ષક શક્તિપુજા, યજ્ઞ મંડપ પ્રવેશ બપોરે અગ્નિ પ્રાગટ્ય, તા.૩૦ ને દ્રિતીય દિવસે સ્થાપિત દેવ પુજા જલયાત્રા, ગ્રામરક્ષક ગુરૂ પાદુકા પૂજન, દેવ શોભાયાત્રા જલાધિવાસ, હલાધિવાસ પુષ્પા દિવસ, ધાન્ય ધિવાસ, શયના ધિવાસ, થાળ, આરા યોજાયેલ તેમજ તૃત્ય દિવસ તા.૧ ને સોમવારે સવારે ૮-૩૦ વાગ્યે દેવ જાગૃતિ, સ્નપનસ્નાન, ન્યાય પિઠીકાપુજન, શિખર પુજન બાદ બપોરે ૧૨-૧૫ વાગ્યે દેવસ્થાપન, પ્રર્તિષ્ઠા, પ્રાણપુરણ અને સાંજે ૪ વાગ્યે ઉતર પુજન, બલિદાનના કાર્યક્રમો યોજાયા હતા.






Latest News