મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

કર્ણાટકની માનવી બેઠક પર ભાજપની જીત માટે બહોળી સંખ્યામાં લોકોને મળી પ્રચાર કરતાં બ્રિજેશ મેરજા


SHARE















કર્ણાટકની માનવી બેઠક પર ભાજપની જીત માટે બહોળી સંખ્યામાં લોકોને મળી પ્રચાર કરતાં બ્રિજેશ મેરજા

કર્ણાટકના ૫૫-માનવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બી.વી.નાયક સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી કરી હતી અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અન્વયે રાયચુરા જિલ્લાની માનવી બેઠકની જવાબદારી ભાજપ નેતૃત્વ દ્વારા મોરબીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ મંત્રી બ્રીજેશ મેરજાને સોંપવામાં આવેલ હોય તે અન્વયે તેઓએ ત્યાંના આગેવાનો સાથે મળીને ચુંટણીની વિવિધ કામગીરી ચાલુ કરી દીધી છે.

ભાજપ માનવી મંડલ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર, વ્યવસ્થા, બુથ, પેજ સમિતિ, શક્તિ કેન્દ્રો વિગેરે કામગીરી અંગે ચર્ચા કરી હતી.કોઈપણ સંજોગોમાં માનવી વિધાનસભા બેઠક જીતવા કાર્યકર્તાઓને ઘનિષ્ઠ કામગીરી કરવા કામે લાગી જવા જણાવ્યું હતુ.આ પ્રસંગે કાર્યકર્તાઓએ ભારત માતાના જયઘોષ સાથે પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાત રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી અને મોરબીના પનોતા પુત્ર બ્રિજેશભાઈ મેરજા દ્વારા કર્ણાટક ખાતેની કામગીરીથી તેમના મહેનતુ સ્વભાવ અને સૌ સાથે સાલસ ભર્યા માનવીય અભિગમને કારણે કર્ણાટકમાં પણ કાર્યકર્તાઓના દિલમાં સ્થાન મેળવી લીધું છે અને સતત પ્રચાર કાર્યમાં ગડાડુબ હોવાના કારણે મોરબી-માળીયાના કાર્યકર્તાઓ અને બ્રિજેશભાઈના શુભેચ્છકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને એમની કામગીરીને વધાવી રહ્યા છે.






Latest News