મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર: મામાના દીકરાના લગ્નમાં જવા નીકળેલા બે પિતરાઇને નડ્યો અકસ્માત, એકનું મોત-એક સારવારમાં


SHARE





વાંકાનેર: મામાના દીકરાના લગ્નમાં જવા નીકળેલા બે પિતરાઇને નડ્યો અકસ્માત, એકનું મોત-એક સારવારમાં

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતો યુવાન તેના માસીના દીકરા સાથે બાઈકમાં તરણેતર ગામે સમૂહલગ્નમાં તેના મામાના દીકરાના લગ્ન હોવાથી ત્યાં જઈ રહ્યો હતો દરમિયાન દલડીથી કાછિયાગાળા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ફરિયાદી યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ તેણે આઇસરના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રહેતા અજયભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૧૯)એ હાલમાં આઇસર નંબર જીજે ૬ બીવી ૩૫૭૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તેના માસીના દીકરા વિજયભાઈ મનસુખભાઈ ધરજીયા રહે. જોધપર ખારી વાળાની સાથે તેના બાઈક નંબર જીજે ૩ એચએમ ૬૩૬૧ માં દીધેલીયાથી તરણેતર ગામ જવા માટે રવાના થયા હતા ત્યારે દલડી થી કાછિયાગાળા વચ્ચે આઇસરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક વિજયભાઈ ધરજીયાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું અને બાઈકમાં પાછળ બેઠેલ ફરિયાદીને ગંભીર થયું હોવાથી તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા તેના પિતા અશોકભાઈ ગોરીયા અને તેના મામા ત્યાં આવ્યા હતા અને તેને રાજકોટની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને આ યુવાનને માથામાં સાત અને હોઠે ત્રણ ટાંકા આવ્યા છે જો કે, સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરના ચાલક સામે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આઈસર ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે




Latest News