મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો


SHARE









મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો

મોરબીના જુના અને નવા સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર, અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જુના સાદુંળકા ગામના સરપંચ તેમજ રાજપૂત કરણી સેનાએ તેની સામે વાંધો લીધો છે અને સરપંચ તેમજ ગામના લોકોની જાણ બહાર આ કામગીરી કરવામાં આવી છે જેથી કરીને આ અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની માહિતી આપતા સાદુળકાના સરપંચ રાજભા ઝાલા અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, જુના અને નવા સાદુળકાના રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવેલ છે તથા સર્વ નંબરોની વહેંચણી કરવામાં આવેલ છે જેમાં સાદુળકા ગામને માત્ર ૧૫૨થી ૧૯૫ સર્વે નંબર મળેલ છે. જે અયોગ્ય છે કેમ કે, અગાઉ પ્રાંત અધિકારી દ્વારા મિટિંગ કરવામાં આવી હતી તેમાં કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લેવામાં આવેલ નથી અને જુના સાદુળકા ગામની જાણ બહાર અને ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર આ કામ કરવામાં આવ્યું છે જેથી તેના વાંધાને ધ્યાને લઈને તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News