મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો


SHARE













મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો

મોરબીના જુના અને નવા સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર, અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જુના સાદુંળકા ગામના સરપંચ તેમજ રાજપૂત કરણી સેનાએ તેની સામે વાંધો લીધો છે અને સરપંચ તેમજ ગામના લોકોની જાણ બહાર આ કામગીરી કરવામાં આવી છે જેથી કરીને આ અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની માહિતી આપતા સાદુળકાના સરપંચ રાજભા ઝાલા અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, જુના અને નવા સાદુળકાના રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવેલ છે તથા સર્વ નંબરોની વહેંચણી કરવામાં આવેલ છે જેમાં સાદુળકા ગામને માત્ર ૧૫૨થી ૧૯૫ સર્વે નંબર મળેલ છે. જે અયોગ્ય છે કેમ કે, અગાઉ પ્રાંત અધિકારી દ્વારા મિટિંગ કરવામાં આવી હતી તેમાં કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લેવામાં આવેલ નથી અને જુના સાદુળકા ગામની જાણ બહાર અને ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર આ કામ કરવામાં આવ્યું છે જેથી તેના વાંધાને ધ્યાને લઈને તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News