સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીમાં ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ
મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો
SHARE
મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો
મોરબીના જુના અને નવા સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર, અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જુના સાદુંળકા ગામના સરપંચ તેમજ રાજપૂત કરણી સેનાએ તેની સામે વાંધો લીધો છે અને સરપંચ તેમજ ગામના લોકોની જાણ બહાર આ કામગીરી કરવામાં આવી છે જેથી કરીને આ અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની માહિતી આપતા સાદુળકાના સરપંચ રાજભા ઝાલા અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, જુના અને નવા સાદુળકાના રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવામાં આવેલ છે તથા સર્વ નંબરોની વહેંચણી કરવામાં આવેલ છે જેમાં સાદુળકા ગામને માત્ર ૧૫૨થી ૧૯૫ સર્વે નંબર મળેલ છે. જે અયોગ્ય છે કેમ કે, અગાઉ પ્રાંત અધિકારી દ્વારા મિટિંગ કરવામાં આવી હતી તેમાં કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લેવામાં આવેલ નથી અને જુના સાદુળકા ગામની જાણ બહાર અને ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર આ કામ કરવામાં આવ્યું છે જેથી તેના વાંધાને ધ્યાને લઈને તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે