મોરબીના સાદુંળકા ગામના રવેન્યુ રકબામાંથી ત્રણ ગામ જુદા કરવાના નિર્ણય સામે વાંધો
મોરબીમાં મારામારી અને મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં મારામારી અને મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીના શનાળા બાયપાસ રોડે આવેલ આંનદ નગરમાં મારા મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બનેલ હતો જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે
આ કેશની હકીકત એવી હતી કે, આરોપીઓ કેશુભાઇ નટુભાઇ સહિત 3 રહે. આંનદ નગર, નિલેશ પાન વાળી શેરી, શનાળા બાયપાસ મોરબી વાળાએ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુડાં બોલી ગાળો આપી ઉશકેરાય જઇ પાવડાના લાકડાના હાથા વડે ફરીયાદીને જમણા હાથમાં ફ્રેકચર કરી તેમજ માથાના ભાગે માર મરીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જે અંગે ફરીયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ અંગેનો કેસ મોરબીની એડી.ચિફ જ્યુ.મેજી.ફ.ક. કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે આ કેસમાં આરોપી વતી સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.