મોરબીમાં મારામારી અને મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરાઇ
મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં સમાકાંઠે આવેલ મહરાણા પ્રતાપ સર્કલે મૂકવામાં આવેલ મહારાણાની પ્રતિમા પાસે મોરબી જિલ્લા જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજા સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને મહારાણાની પ્રતિમાને ફૂલહાર કરીને જય ભવાનીના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનિય છે કે, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તેમજ જય માતાજી સેવા ગૃપ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે સરબત તેમજ ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો