મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે
SHARE
મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાનપદે આગામી તા.૧૨ મી મે ના રોજ યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯ મું રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું ૧૬ મું અધિવેશન યોજાનાર છે.જેનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતમાં થવાનો હોય, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં ત્યાં હાજરી આપશે તેમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાએ યાદીમાં જણાવ્યું છે.શિક્ષકોના આ અધિવેશનમાં દેશના વડાપ્રધાન હાજરી આપવાના હોય, અધિવેશનને સફળ બનાવવા તમામ શિક્ષકો ઉત્સાહિત છે.આવતી કાલ તા.૧૨ અને ૧૩ અધિવેશન બાદ તા.૧૩ થી ૨૧ સુધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પૂજ્ય મોરારિબાપુની રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ યાદીમાં જણાવેલ છે.