માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળી જઇને એસિડ પી ગયેલ વૃદ્ધ સારવારમા


SHARE













મોરબીમાં બીમારીથી કંટાળી જઇને એસિડ પી ગયેલ વૃદ્ધ સારવારમા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા સરવડ ગામે રહેતા વૃધ્ધે એસીડ પી લેતા તેઓને સારવાર માટે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે તપાસ કરતા ખુલ્યુ હતુ કે બીમારીથી કંટાળી જવાથી તેઓએ ઉપરોકત પગલું ભરી લીધુ હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકાના સરવડ ગામે રહેતા જેરામભાઈ લક્ષ્મણભાઈ સરડવા નામના ૭૫ વર્ષના વૃદ્ધ એસિડ પી ગયા હતા જેથી તેમનો પુત્ર ભાવેશ તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યો હતો અને હોસ્પિટલ દ્વારા તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, બીમારીથી કંટાળી જઈને જેરામભાઈ સરડવા દ્વારા ઉપરોક્ત પગલું ભરવામાં આવ્યું હતું અને હાલ તેઓ સારવાર હેઠળ છે.બનાવની આગળની તપાસ માટે એ ડિવિઝન પોલીસ દ્વારા માળિયા મીંયાણા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

કામ દરમિયાન પડી જતા સગીરા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૬ અને ૭ ની વચ્ચે કારખાનામાં કામ દરમિયાન કારખાનામાં ચોથા માળે કામ માટે ગયેલ કસીશબેન પ્રવીણભાઈ સનુરા નામની ૧૬ વર્ષની સગીરાનો પગ લપસતા ઊંચાઈએથી નીચે પડી જતા સારવાર માટે અત્રેની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યાંથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના જેઇલ રોડ ઉપર રહેતો જય મહેશભાઈ હિરાણી નામનો ૨૦ વર્ષનો યુવાન યદુનંદન ગૌશાળા પાસેથી પોતાનું બાઈક લઈને જતો હતો તે સમયે ત્યાં રસ્તામાં તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા અકસ્માતના બનાવમાં તેને ઇજા થતા તેને અત્રેની ખાનગી સાગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા તે બનાવ અંગે પણ નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા કાંતિભાઈ ભીખાભાઈ દેત્રોજા નામના ૫૦ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે માણેકવાડા ગામ નજીક તેમનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં કાંતિભાઈ દેત્રોજાને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે






Latest News