માળીયા (મી)ના નીરૂબેનનગરમાં મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને જીવનલીલા સંકેલી
હળવદના રાતાભેર નજીક પવનચક્કીના સબ સ્ટેશનમાં વૃધ્ધે અંતિમ પગલું ભરીને અનંતની વાટ પકડી
SHARE
હળવદના રાતાભેર નજીક પવનચક્કીના સબ સ્ટેશનમાં વૃધ્ધે અંતિમ પગલું ભરીને અનંતની વાટ પકડી
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ રાતાભેર ગામની સીમમાં પવનચક્કીના સબ સ્ટેશનમાં મૂળ એમપીના રહેવાસી વૃધ્ધે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ત્યાના સુપરવાઇઝર દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ રાતાભેર ગામની સીમમાં આવેલ પવનચક્કીના એસ.એસ. સબ સ્ટેશનમાં રહેતા અને ત્યાં ફરજ બજાવતા રામ નરેશ ચિરોજીલાલ (૬૦) નામના વૃદ્ધે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આપઘાતના આ બનાવની રાતાભેર ગામે રહેતા અને ત્યાં સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રભુભાઈ ભુરાભાઈ ચૌહાણ જાતે રજપૂત (૫૦) દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતક વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જો કે, આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એ.એમ. સિસોદિયા આગળની તપાસ કરી રહ્યા છે
દેશી દારૂનો આથો
વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા બેચર દેકાવાડિયાના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી હાજર ન હોવાથી બેચર અજુભાઈ દેકાવાડિયા જાતે કોળી રહે. વીરપર વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે