મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેંચાણ
SHARE
મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેંચાણ
મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા લોકોને શુદ્ધ વસ્તુઓ મળી રહે તે માટે નેચરલ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવા માટેનું આયોજન મોરબીના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આરડીસી બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે તા.૧૪ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ દરમિયાન કરવામાં આવેલ છે.
જેમા બાળકો માટે કબજીયાતમાં ઉપયોગી એવી ગરમાડાની સિંગ ફ્રી માં આપવામા આવશે.તેમજ રાહતદરે ફૂલછોડનું વિતરણ થશે.મોરબીના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આરડીસી બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે તા.૧૩ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા,ગોલ્ડન બેરી વિગેરે મળશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે નિરોગી રહેવા માટે વેચાણ કેન્દ્રની મુલાકાત લેવા યાદી જણાવે છે.