હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા યુવાનોના મોત


SHARE







વાંકાનેર નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા યુવાનોના મોત

વાંકાનેર નજીક ટોલનાકા પાસે રોગ સાઈડમાં આવેલ કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જયો હતો. જેમાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘસિયા ટોલનાકા પાસે બાઇક નં જીજે ૩૬ એડી ૨૯૫૩ લઈને બે યુવાનો જતાં હતા ત્યારે કન્ટેનર જીજે ૧૨ બીઝેડ ૫૭૪૬ લઈને આવેલા વાહન ચાલકે તે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો. જેમાં ડાયાલાલ શિવાભાઈ ઝીઝુવાડિયા (જીકિયારી) અને સુખદેવભાઈ અદગામા (મહેન્દ્રનગર) નામના બે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જેથી તેની બોડીને સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News