હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ
SHARE
હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ
હળવદનાં ટીકર ગામે રવિવારે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં માલધારીના ૪૦૦ જેટલા અબોલ જીવ માટે રાખેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે માલધારી પરિવાર નિરાધાર બની ગયો છે જેથી કરીને મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન દ્વારા પશુપાલન મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને માલધારીને સહાય આપવાની માંગ કરવામાં આવી છે
હાલમાં મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદના ટીકર ગામે તા ૧૪/૫ નાં બપોરનાં સમયે રબારી કાળુભાઈ માવજીભાઈનાં વાડામાં આગ લાગી હતી જેથી કરીને માલધારીની ૩૦૦ ગાય અને ૧૦૦ ભેંસો માટેના ચારો બળીને ખાખ થઈ ગયેલ છે અને ચાર હજાર મણ કળબ, તેમજ ૭૦૦ મણ ગવારનો ભુક્કો બળીને ખાખ થવાથી માલધારીને લખો રુપિયાનું નુકશાન થયું છે અને આગ લાગી તે વિસ્તારમાં ઈલેકટ્રીકના થાંભલા પણ ન હતા જેથી આગ અકસ્માતે લાગી હોય માલધારી પરિવારને આશરે દસ લાખનું નુકસાન થયેલ છે. જેથી આ પરિવાર અને તેના પશુધન માટે સરકાર તરફથી સત્વરે સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે