માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ


SHARE











હળવદના ટીકરમાં આગ લગતા માલધારીને થયેલ નુકશાન સામે સરકારમાંથી સહાય આપવાની માંગ

હળવદનાં ટીકર ગામે રવિવારે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં માલધારીના ૪૦૦ જેટલા અબોલ જીવ માટે રાખેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે માલધારી પરિવાર નિરાધાર બની ગયો છે જેથી કરીને મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન દ્વારા પશુપાલન મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને માલધારીને સહાય આપવાની માંગ કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદના ટીકર ગામે તા ૧૪/૫ નાં બપોરનાં સમયે રબારી કાળુભાઈ માવજીભાઈનાં વાડામાં આગ લાગી હતી જેથી કરીને માલધારીની ૩૦૦ ગાય અને ૧૦૦ ભેંસો માટેના ચારો બળીને ખાખ થઈ ગયેલ છે અને ચાર હજાર મણ કળબ, તેમજ ૭૦૦ મણ ગવારનો ભુક્કો બળીને ખાખ થવાથી માલધારીને લખો રુપિયાનું નુકશાન થયું છે અને આગ લાગી તે વિસ્તારમાં ઈલેકટ્રીકના થાંભલા પણ ન હતા જેથી આગ અકસ્માતે લાગી હોય માલધારી પરિવારને આશરે દસ લાખનું નુકસાન થયેલ છે. જેથી આ પરિવાર અને તેના પશુધન માટે  સરકાર તરફથી સત્વરે સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News