મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ


SHARE















મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનને સાડા પાંચ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે જોકે, તેના લોકાર્પણને લઈને છેલ્લા ઘણા સમયથી અવઢવ અને ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં બે દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા ધરાહારના ધોરણે આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આગામી ગુરુવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

રાજ્યભરમાં મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે થઈને સરકાર દ્વારા જુના બસ સ્ટેશન પાડીને તેની જગ્યાએ નવા અદ્યતન સુવિધા સાથેના બસ સ્ટેશનનો બનાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનને પાડીને તે જગ્યાએ સાડા પાંચ કરોડના ખર્ચે નવું બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે અને આ બસ પોર્ટની કામગીરી છેલ્લા ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હતી જોકે તેનું લોકાર્પણ કરવામાં આવતું ન હતું જેથી કરીને તેને તાત્કાલિક લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી જોકે તેને ખુલ્લુ મુકવામાં આવ્યું ન હતું

જેથી કરીને ગત શનિવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા સનાળા રોડ ઉપર નવું બનાવવામાં આવેલ બસ સ્ટેશન ધરાહારના ધોરણે ખુલ્લું મુકવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ત્યારે નવા બસ સ્ટેશનના પટાંગણમાં નારીયલ વધારીને તેને ખુલ્લુ મુકાયું હતું જો કે, કોંગ્રેસના આગેવાનો દ્વારા રીબીન કાપવામાં આવે ત્યારે પહેલા તેની અટકાયત કરી લેવામાં આવી હતી અને હાલમાં એસટી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આગામી તા. ૧૮/૫ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી શહેરના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે






Latest News