માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ


SHARE











મોરબીના નવા બસ સ્ટેશનનું ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરશે લોકાર્પણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનને સાડા પાંચ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે જોકે, તેના લોકાર્પણને લઈને છેલ્લા ઘણા સમયથી અવઢવ અને ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં બે દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા ધરાહારના ધોરણે આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આગામી ગુરુવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

રાજ્યભરમાં મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે થઈને સરકાર દ્વારા જુના બસ સ્ટેશન પાડીને તેની જગ્યાએ નવા અદ્યતન સુવિધા સાથેના બસ સ્ટેશનનો બનાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનને પાડીને તે જગ્યાએ સાડા પાંચ કરોડના ખર્ચે નવું બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે અને આ બસ પોર્ટની કામગીરી છેલ્લા ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હતી જોકે તેનું લોકાર્પણ કરવામાં આવતું ન હતું જેથી કરીને તેને તાત્કાલિક લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી જોકે તેને ખુલ્લુ મુકવામાં આવ્યું ન હતું

જેથી કરીને ગત શનિવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા સનાળા રોડ ઉપર નવું બનાવવામાં આવેલ બસ સ્ટેશન ધરાહારના ધોરણે ખુલ્લું મુકવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ત્યારે નવા બસ સ્ટેશનના પટાંગણમાં નારીયલ વધારીને તેને ખુલ્લુ મુકાયું હતું જો કે, કોંગ્રેસના આગેવાનો દ્વારા રીબીન કાપવામાં આવે ત્યારે પહેલા તેની અટકાયત કરી લેવામાં આવી હતી અને હાલમાં એસટી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આગામી તા. ૧૮/૫ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મોરબી શહેરના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે






Latest News